Wednesday, April 13, 2011

સોનિયા ગાંધી-મનમોહન સિઘનો ‘મહાભારત સંવાદ’

મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ ભગવદ્‌ગીતા તરીકે જાણીતો છે. ગયા અઠવાડિયે અન્ના હઝારેએ ઉપવાસ કરીને સરકારને માથે લીધી, ત્યારે દિલ્હીમાં મહાભારત યુદ્ધ જેવું વાતાવરણ ઉભું થયું. સંજય ભણસાળીની નહીં, મહાભારતવાળા સંજયની ‘સંજયદૃષ્ટિ’ કામે લગાડતાં જાણવા મળ્યું કે દિલ્હીના મહાભારતમાં ‘કિગ નહીં, પણ કિગમેકર’ એવા કૃષ્ણની જગ્યાએ ‘વડાપ્રધાન-મેકર’ સોનિયા ગાંધી હતાં અને બાકી બઘું ભૂલીને ચકલીની આંખ જોતા અર્જુનને બદલે ફક્ત જીડીપી- ગ્રોથરેટ જોતા મનમોહન સિઘ હતા.

કલ્પનાના ચશ્મા પહેરીને ‘સંજયદૃષ્ટિ’થી જોતાં બીજાં ઘણાં દૃશ્યો દેખાયાં અને એ પણ કમર્શિયલ બ્રેક વગર. અન્ના હઝારેના ઉપવાસ એલાનથી જાણે શંખ-દુદુંભિ આદિ રણવાદ્યો બજી ઉઠ્યાં. ઘોડાની હણહણાટી, રથના ખડખડાટ અને હાથીની ચિઘાડની અવેજીમાં ટીવી ચેનલો, ફેસબુક, ટ્‌વીટર આદિ સ્થળોએ કોલાહલ અને ધમધમાટ મચ્યો. રથીઓ, અતિરથીઓ, મહારથીઓ અને સ્વારથીઓ (સ્વાર્થીઓ) ધજાપતાકા-બેનર લઇને મેદાને ઉતરી પડ્યા.

ઘેરાયેલા મનમોહન સિઘે તેમનાં ‘શ્રીકૃષ્ણ’ સોનિયા ગાંધી સમક્ષ હાથ જોડીને કહ્યું, ‘હે મહાબાહો, તમે મને સંિહાસન પર તો બેસાડી દીધો, પણ હવે મારે યુદ્ધ લડવાનું આવ્યું છે. મને થાય છે કે મેદાન છોડીને ફરી વર્લ્ડ બેન્કના રસ્તે પ્રયાણ કરું, જ્યાં હું ભલો ને મારું અર્થશાસ્ત્ર ભલું. આ અનર્થમાં હું ક્યાં ફસાયો?’

સોનિયા ગાંધી ટીવી સિરીયલોના શ્રીકૃષ્ણ જેવું કે લકી ડ્રોમાં પ્લાસ્ટિકની ચમચી લાગ્યા પછી કરવું પડે એવું સ્મિત કરીને બોલ્યાં, ‘હે કોંગ્રેસપુત્ર, જય-પરાજય, માન-અપમાન, લાભ-હાનિ, સુખ-દુઃખ આ બધી પરિસ્થિતિમાં શૂરવીર ધૈર્ય ખોતો નથી. યોદ્ધો તેનાથી કદી હાર માનતો નથી કે ગભરાતો નથી. તારા જેવા શાણા, કહ્યાગરા સેનાપતિના મનમાં આજે કસોટીના સમયે આવો ઉચાટ ક્યાંથી?’

અર્જુનના રોલમાં ધનુષ-બાણ જમીન પર મૂકીને બે હાથ જોડીને બેસી ગયેલા સિઘે કહ્યું, ‘હે કોંગ્રેસનાં તારણહાર, નથી હું જય-પરાજયની ચંિતા સેવતો કે નથી હું સુખ-દુઃખથી વિચલિત થતો. મને નથી સ્વર્ગની કામના કે નથી રાજ્યની. જેપીસીની કે લોકપાલની ચંિતાથી પણ મારાં ગાત્રો શિથિલ થયાં નથી.’

‘તો હે આકાશી રંગની પાઘડી ધારણ કરનાર, તને થયું છે શું? આટલાં વર્ષથી તારી આભા પ્રસરાવતું તેજવર્તુળ ક્યાં અદૃશ્ય થઇ ગયું? રાજા-કલમાડી જેવા કોઇએ તારા તેજવર્તુળને ‘કોમન વેલ્થ’ ગણીને ક્યાંક એનો વહીવટ કરી નાખ્યો કે શું? અને તું આમ ઇન્કમટેક્સના દરોડાથી બીતા વેપારી જેવો દીન શા માટે બન્યો છે?’

સિઘે કહ્યું,‘હે દૂનબંઘુ-અર્ધાંગિની, કોંગ્રેસમાં તમારાથી ક્યાં કશું અજાણ્યું છે? તમે ગતિવિધિઓથી અજાણ છો એવું સૂચવીને હું મન, વચન કે કર્મથી, કોઇ પણ રીતે અહેમદભાઇ પર અવિશ્વાસ મૂકવા માગતો નથી. ભગવાન કૃષ્ણના મુખમાં માતા યશોદાને સમસ્ત બ્રહ્માંડનાં દર્શન થયાં હતાં, તેમ કોંગ્રેસી નેતાઓને આપના પાલમાં સમગ્ર સંસારની ઝાંખી થાય છે. આપ કોંગ્રેસનિયંતા અને પાલનહાર છો, આપ જ સર્જક અને રક્ષક પણ આપ જ છો. છતાં આપ મારા મુખેથી જવાબ સાંભળવા ઇચ્છો છો, એટલે દીનભાવે નિવેદન કરું છું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના જંગમાં મારે કોની સામે લડવાનું છે? અને શા માટે?’

આ નિવેદન સાંભળીને સોનિયા ગાંધીના ચહેરા પર રહેલી કરુણાનો આછો ભાવ, થોડા વખત પહેલાં વધેલા કાંદાના ભાવની જેમ, અચાનક વધી ગયા. ‘અર્જુન’ની તબિયત વિશે તેમના મનમાં પહેલી વાર ચિતા જાગી હોય એવું લાગ્યું, પરંતુ હૈયાધારણ આપવા તેમણે કહ્યું, ‘હે અણુકરારભાગ્યવિધાતા, તારી મૂંઝવણનું કારણ સ્પષ્ટ શબ્દોમાં મને જણાવ. મારા થકી અવશ્ય તને એનું નિવારણ પ્રાપ્ત થશે.’

સિઘે કહ્યું, ‘હે એનડીએગર્વભંજક, જંગના મેદાનમાં સ્પેક્ટ્રમ કૌભાંડના આંકડા જેવાં વિશાળ સૈન્યો પર હું જ્યાં નજર કરું ત્યાં મને મારાં જ સાથી-સ્નેહી-સમધર્મી-સમકાલીનો દેખાય છે. તેમાંથી કોણ મારાં ને કોણ પરાયાં? કોણ પક્ષ ને કોણ વિપક્ષ? કોણ ભ્રષ્ટ ને કોણ ચોખ્ખાં? કોની સામે તપાસનું અસ્ત્ર ઉગામું ને કોને જવા દઉં? કોની માગણી સ્વીકારું અને કોને નકારું? અરે, મને તો પાંડવ કોણ ને કૌરવ કોણ એ પણ સમજાતું નથી. હું કોના પક્ષે લડું? કોને હણું? અને હું કશું જ નહીં કરું તો આ વિશાળ જનસમુદાય મારી કેવી દુર્દશા કરશે?...ગૃહમાં પહેલી વાર તોફાન જોઇને મારો અવાજ જે રીતે કંપતો હતો, એ રીતે આજે મારા પગ ધ્રજે છે. મારા ધનુષ્યની પ્રત્યંચા પણ, મારા મંત્રીઓની જેમ, મારા કાબૂમાં રહેતી નથી. હું ભારતમાં નહીં, જાપાનમાં ઉભો હોઉં તેમ મારા પગ નીચેની ધરતી ડોલી રહી છે. મારા કંઠમાં વગર સૂત્રોચ્ચાર કર્યે શોષ પડે છે અને કોઇએ મારી પર જાણે કશુંક જંતરમંતર કર્યું હોય એવું લાગે છે. હે સર્વભૂતોનું રક્ષણ કરનારા, મારું રક્ષણ કરો અને મને માર્ગ બતાવો.’

સિઘની મૂંઝવણની વિગત સાંભળીને સોનિયા ગાંધીના ચહેરા પરથી અદૃશ્ય થયેલો પ્રસન્ન ભાવ, ગઠબંધન છોડ્યા પછી નાકલીટી તાણીને પાછા ફરતા સાથીપક્ષની જેમ, પાછો આવી ગયો. તેમણે કહ્યું, ‘હે ઉદારીકરણપ્રણેતા, બસ, આટલી અમથી વાતથી તું વિષાદયોગમાં સરી પડ્યો? તો ચિત્તમાંથી સંશય દૂર કરવા માટે હવે હું જે કહું તે ઘ્યાનથી સાંભળ અને તેને હૃદયમાં ધારણ કર. તારો સઘળો વિષાદ, સ્વિસ બેન્કમાં જમા થતાં દેશનાં કાળાં નાણાંની જેમ, અદૃશ્ય થઇ જશે.’

ગમતી સિરીયલના ટાઇટલ શરૂ થાય એટલે બીજાં કામ પડતાં મૂકીને ટીવી સામે ત્રાટક કરતા દર્શકોની જેમ, સિઘે તેમના ઉદ્ધારક ભણી ઘ્યાન કેન્દ્રિત કર્યું. સોનિયા ગાંધીએ કહ્યું, ‘ભ્રષ્ટાચાર સામેના ધર્મયુદ્ધનો પહેલો અને મુખ્ય નિયમ તું સાંભળઃ એ યુદ્ધ આપણી સામેનું છે અથવા આપણે તેમાં સામેના પક્ષે છીએ એવું કદી માનવું કે જાહેર કરવું કે જાહેર થવા દેવું નહીં. આપણે ભ્રષ્ટાચાર સામે લડાઇ છેડનારાની સાથે જ લડી રહ્યા છીએ, એવી રણગર્જનાઓ કરવી. ગર્જનાને બદલે ‘મ્યાંઉ, મ્યાંઉ’ નીકળે તો વાંધો નહીં. એમાંથી ગર્જના કેમ બનાવી લેવી, એ ટીવી ચેનલોને આવડે છે. રહી વાત પક્ષ અને વિપક્ષની. કોણ પક્ષ અને કોણ વિપક્ષ, એ તારી મુંઝવણ ધર્મ્ય અને એટલે જ ક્ષમ્ય છે. વિપક્ષો છેવટે આપણા જ છે અને આપણે સૌએ મળીને પ્રજાનો ‘ઉદ્ધાર’ કરવાનો છે. છતાં વિપક્ષોને કાબૂમાં રાખવા માટે અને પ્રજાને આભાસમાં રાખવા માટે વિપક્ષોને શત્રુ ઘોષિત કરી દેવામાં બાધ નથી. તેમની સામે કડક પગલાં ભલે ન લઇએ, પણ એ દિશામાં શરૂઆત કરીએ તો ભવિષ્યમાં તેમની સાથેની વિષ્ટિમંત્રણા વખતે સાટુ કરવા એ બહુ કામ લાગે.’

એટલું બોલીને સોનિયા ગાંધી અટક્યાં. આંખ મીંચી, સિઘના ભેજામાં ઉપદેશ ઉતરી રહ્યો છે કે નહીં એ જોયું અને આગળ ચલાવ્યું,‘ બાકી રહી વાત પ્રજાની. તો હે શુભ્રછબીધારક, ટિ્‌વટર અને ફેસબુકના ઘ્વનિથી તું ભય પામીશ નહીં. આ તો આરંભનો ઉત્સાહ છે. એકાદ નાની જીતના ટુકડા પછી એ શમી જશે. નેતાઓ પારણાં કરશે અને લોકો ફરી પાછા પારણાંમાં પોઢી જશે. કારણ કે તારી જે મૂંઝવણ છે એ જ એમની પણ મૂંઝવણ છે. ભ્રષ્ટાચારના યુદ્ધમાં કોણ પાંડવ ને કોણ કૌરવ- અરે, પોતે કૌરવ છે કે પાંડવ એ પણ તેમને નથી સમજાતું. એટલે, તું વિષાદ ખંખેરીને ઉભો થા અને પરાજય સ્વીકારવાનો દેખાવ કરીને સામા પક્ષને જીતના આનંદમાં ગુલતાન થવા દે. આ યુદ્ધનો ફેંસલો એક લડાઇમાં આવી જવાનો નથી અને હારીને પણ જીતી શકાય છે.આ બન્ને સત્ય તારે મનમાં અહર્નિશ વિચારવાનાં છે અને ફરી વિષાદયોગ આવે ત્યારે યાદ રાખવાનાં છે.’

પ્રેરક વચનોનું પાન કરીને મનમોહન સિઘમાં નવું જોમ આવ્યું અને પછી શું થયું એ તો સૌ જાણે છે.

7 comments:

  1. અને પછી અંતમાં...

    દૈવ સોનિયા પાસેથી મદગર્વિત મહાભારતવાણી સાંભળીને સિંઘે ટટ્ટાર થયો. પાઘ સરખો કર્યો અને દાઢીએ તાવ દેતાકને સિંહગર્જના કરવા બેઉ હાથ ઉચા કરી મ્હો ખોલ્યું ત્યાં ઉંદરડી મૂતરે એટલો અવાજ નિકળ્યો, "ક્યો ગયો લ્યા કપાતર શિખંડી. લે થા મોર્ય." ત્યાં રણક્ષેત્રે કુરુક્ષેત્રે સન્નાટો છવાઈ ગયો. ઘોડા હણહણવુ ભુલી ગયા. સૌ યોદ્ધાઓ એકાબીજા સામે મ્હો વકાસીને જોઈ રહ્યા, "કોને બોલાવ્યો યુદ્ધ શિરોમણીએ."

    ReplyDelete
  2. Anonymous7:05:00 PM

    saras! nava sanjay ne namaste!!!!!

    ReplyDelete
  3. Anonymous7:18:00 PM

    Amazing, Urvishbhai!!

    ReplyDelete
  4. its awesome....its always very interesting when u relate anything with history...... simply superb sir

    ReplyDelete
  5. Anonymous10:08:00 PM

    Ethics are digestible to our politicians whether they are from left, right or in middle.

    Are u referring that Ahmadbhai, who was absconding or rather behaving to went to hiding in 2002 and still a Steel-Advisor (AICC) and Maseehah of Minority who lost his den-seat in election????

    J

    ReplyDelete