Tuesday, September 29, 2009

‘માય લાઇફ ઇઝ માય મેસેજ’ના વિમોચન નિમિત્તે આશિષ નાંદી અમદાવાદમાં

નારાયણભાઇ દેસાઇના ચાર ભાગના બૃહદ ગાંધીચરિત્ર ‘મારૂં જીવન એ જ મારી વાણી’ના ત્રિદીપ સુહૃદે કરેલા અંગ્રેજી અનુવાદ ‘માય લાઇફ ઇઝ માય મેસેજ’નું વિમોચન ગુરૂવારે, ૨ ઓક્ટોબરની સવારે સાબરમતી આશ્રમ, અમદાવાદમાં થશે. સવારે ૮:૩૦ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં અગાઉ નારાયણભાઇનું ગાંધીજયંતિ વિશેષ પ્રવચન છે, પણ પુસ્તકનો લગતો ભાગ ૯:૪૦ વાગ્યાથી શરૂ થશે. આશિષ નાંદી/Ashish Nandi હાજરી અને પ્રવચન આપવાના છે. ઉપરાંત નારાયણભાઇ અને ત્રિદીપભાઇ તો ખરા જ. ગુજરાતી-અંગ્રેજી ભાષામાં એકસરખા પ્રભુત્વથી કામ પાડી શકતા અને વિવિધ વિષયોમાં ઉંડો અભ્યાસ કરનારા ત્રિદીપભાઇને અભિનંદન.
આકર્ષક સાદગી ધરાવતાં ચારે ભાગનાં ટાઇટલ અહીં ત્રિદીપભાઇના સૌજન્યથી મૂક્યાં છે. આવું ડિઝાઇનિંગ ગુજરાતી પુસ્તકોમાં અપૂર્વ આશરના અપવાદને બાદ કરતાં ભાગ્યે જ જોવા મળે.

નારાયણભાઇ દેસાઇ, આશિષ નાંદી, ત્રિદીપ સુહૃદ, પ્રકાશક ઓરિએન્ટ બ્લેકસ્વાન તરફથી ડો.નંદિની રાવ અને રાજ્યપાલ પ્રવચનો કરશે. ગાંધીચરિત્ર ઉપરાંત નારાયણભાઇએ લખેલા મહાદેવભાઇના ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ની ત્રીજી આવૃત્તિ એ દિવસે પ્રસિદ્ધ થશે.

1 comment:

  1. Word to word copy-pasting here : http://www.akilaindia.com/3009/news_html/main62.html

    ReplyDelete